"મા મહોણી માતાજી ની અસીમ કૃપા" , જય માતાજી, જય રણછોડ . ગોગા સરકાર(Govt. of GOGA) , Proud to be a Rabari(રબારી),
About Me
સુવિચાર
1. ઇશ્વરનું બેલેન્સ કેવું અદભુત છે.... પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે તે મજુર
એકી સાથે ખરીદી ના શકે; અને જે ખરીદી શકે છે તે શેઠ તેને ઊપાડી ના શકે.
2. વિજ્ઞાન કહે છે કે જીભ પર થયેલી ઇજા ઝડપથી મટે છે,જ્યારે જ્ઞાન કહે છે કે
જીભથી થયેલી ઇજા ક્યારેય મટતી નથી.!!!
Friday, October 26, 2012
Saturday, July 16, 2011
દુધઈ વડવાળા મંદિર માં ગુરૂપુર્ણીમા નો મહોત્સવ ઉજવાયો.
મુળી તાલુકા ના દુધઈ ગામે શ્રી વડવાળા મંદિર માં ભવ્ય ગુરૂપુર્ણીમા મહોત્સવ ઉજવાયો. જુદા જુદા વિસ્તારમાંથી રબારી સમાજના ભક્તો એ ગુરુગાદીએ મહંત શ્રી રામબાલકદાસ બાપુના આશિર્વાદલીધા હતા. મહંતશ્રીએ સમાજના નાના બાળકોને ગુરુમંત્ર આપીને આશિર્વાદ આપ્યા હતા.
આ ઉત્સવમાં ભવ્ય પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ભક્તોએ ભાવપૂર્વક પ્રસાદ લીધો હતો. મોટી સંખ્યામાં ભક્તોએ આ ઉત્સવમાં ભાવ પૂર્વક ભાગ લઇને ગુરુશ્રી ના આશીર્વાદ લીધા હતા.
આ ઉત્સવ દર ગુરૂપુર્ણીમાં ના દિવસે વડવાળા મંદિર માં ઉજવાય છે. આ ઉત્સવમાં દર વર્ષે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટીપડે છે. અને સમાજના નાના બાળકોના વડવાળા મંદિર ના મહંતને ગુરુ કરવામાં આવે છે, અને મહંતશ્રીના આશિર્વાદ લેવામાં આવે છે.
આ ઉત્સવ માં ગુજરાત ભાર માંથી સમાજના આગેવાનો તથા ભક્તો ગુરુગાદીએ આશિર્વાદ લેવા આવે છે.
||__गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवा महेश्वरा_________||||__गुरु साक्षात् परः ब्रह्मा तत्समय श्री गुरुदेव नमः __||
અજ્ઞાન રૂપી અંધકારથી
અંધ બનેલી મારી આંખોમાં
જેણે જ્ઞાનની સળી વડે
જ્ઞાનનો સુરમો આંજ્યો
અને મારી આંખોને દેખતી કરી
તે ગુરુ ને હું નમસ્કાર કરું છું…………….
Saturday, April 2, 2011
દ્વારકામાં અષ્ટ મહાલક્ષ્મી યજ્ઞા તથા ભાગવત સપ્તાહનું આયોજન-કાંકરેજના ધારાસભ્ય બાબુભાઈ દેસાઈ- વાતમા પરિવાર દ્વારા
જામનગર જિલ્લાનું યાત્રાધામ દ્વારકા વિશ્વશાંતિના અભિયાન માટે નિમિત બને અને ગુજરાતમાં એકતા, શાંતિ, ભાઈચારો, સમૃધ્ધિ કાયમી જળવાઈ રહે તે માટે મહાલક્ષ્મી યજ્ઞા, ભાગવત સપ્તાહ તથા ગીતાના ૧૮ હજાર શ્લોકોના પઠન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.પવિત્ર યાત્રાધામ દ્વારકામાં કાંકરેજના ધારાસભ્ય બાબુભાઈ દેસાઈ- વાતમા પરિવાર દ્વારા ૧૦૮ કુંડી મહાલક્ષ્મી યજ્ઞા, ભાગવત સપ્તાહ તથા ભાગવત ગીતાના ૧૮૦૦૦ શ્લોકોના પઠન સહિતના ર્ધાિમક કાર્યક્રમોનું તા.૪-૪થી તા.૧ર-૪ સુધી એનડીએચ હાઈસ્કુલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે હિમાલયના સિધ્ધ મહાપુરૃષ પાયલોટ બાબા ઉપસ્થિત રહેશે. અષ્ટ મહાલક્ષ્મી યજ્ઞા સવારે ૯ થી સાંજના પ વાગ્યા સુધી યોજાશે. તેમજ સવારે ૯ થી ૧ વાગ્યા સુધી ભગવત ગીતાના ૧૮ હજાર શ્લોકોનું યજ્ઞોશભાઈ શાસ્ત્રી પઠન કરાવશે. આ ઉપરાંત વ્યાસપીઠ ઉપર શારદાપીઠના દંડીસ્વામી સદાનંદ સરસ્વતીજી બિરાજી બપોરે ૩ થી ૭ વાગ્યા સુધી કથાનું રસપાન કરાવશે.આ પ્રસંગે રાત્રીના સમયે લોકડાયરો, સંતવાણી, ભજન સંધ્યા સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
Subscribe to:
Posts (Atom)


